Languages

પાઠ 2

ઈસુને શા માટે વધસ્તંભ ઉપર મરવું પડ્યું હતું?

તે પ્રશ્નનો જવાબ આપ્યા વિના, ઈશ્વરના શુભ સમાચારનો કોઈ અર્થ નથી.

શા માટે તેને સમજવાની એક માત્ર રીત છે ઈશ્વરનો જવાબ સાંભળવો. ઈશ્વર જણાવે છે કે તેઓએ સ્વેચ્છાએ આપણા જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરવાનું અને પછી આપણા માટે મરવાનું પસંદ કર્યુ જેથી આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ, જેથી આપણો તેમની સાથે સુમેળ સાધી શકાય અને તેથી તેઓ આપણો પ્રેમ અને સમર્પણ જીતી શકે.

તેણે જે રીતે કર્યું એવું શા માટે એ રીતે કર્યું હતું? કારણ કે તેણે એ રીતે કરવાનું પ્રસંદ કર્યું હતું.

ઈશ્વર જણાવે છે કે જીવન લોહીમાં છે. ક્ષમા માત્ર ત્યારે જ સંભવ છે જ્યારે શુદ્ધ લોહી વહી જાય છે, અને માત્ર શુદ્ધ લોહી જ અનંત જીવન આપી શકે છે કારણ કે તે મૃત્યુના અભિશાપ હેઠળ નથી. આ જ કારણથી ઈસુએ, જે એક માત્ર પરમ પવિત્ર માણસ છે, સ્વૈચ્છિક રીતે આપણા માટે મરવાનું પસંદ કર્યું હતું.

ઈશ્વરે પૂરા ઇતિહાસમાં વચન આપ્યું હતું કે તેઓ આપણા માટે મૃત્યુ પામશે. જ્યારે ઈસુએ ભવિષ્યવાણી થઇ હતી તેવું જીવન વિતાવ્યું ત્યારે તેમણે ઈશ્વરના વચનોને સાચા અને વિશ્વાસપાત્ર હોવાનું દેખાડ્યું હતું. તેથી ઈસુએ તેમના જન્મના બહુ સમય પહેલા લખાયેલી 300 થી વધુ ભવિષ્યવાણીઓને પૂરી કરી હતી.

ચાલો ઈસુએ મરવાનું પસંદ કરીને શું મેળવ્યું હતું તેની યાદી જોઈએ.

  1. તેઓ આપણને ઈશ્વર પાસે લઇ જવા માટે મૃત્યુ પામ્યા હતા.
  2. તેમના આત્માએ આપણને જીવન આપ્યું હતું. જ્યારે આપણે દૃષ્ટતા માટે મૃત્યુ પામીએ છીએ, ત્યારે આપણે તેમના આત્મા દ્વારા જીવીત થઈ જઈએ છીએ.
  3. આપણા પાપ માટે તેમને ફટકારવામાં આવ્યા હતા અને તેમની સજા આપણને માટે શાંતિ અને રૂઝ આપે છે.
  4. તેમના આજ્ઞાપાલને ભવિષ્યવાણીને પૂર્ણ કરી હતી.
  5. જ્યારે તેમને વધસ્તંભ ઉપર ખીલાથી જડી દેવામાં આવ્યા હતા ત્યારે તેમણે ઈશ્વરને આપણું ઋણ ચૂકવ્યું હતું, તે ઈશ્વરના ન્યાયીપણાને સન્તુષ્ઠ આપે છે.
  6. તેમને ત્યજી દેવામાં આવ્યા હતા જેથી આપણું સ્વાગત થઇ શકે.
  7. તેમણે સ્વૈચ્છિક રીતે તેમનું જીવન આપી દીધું જેથી આપણે તેમનું જીવન લઇ શકીએ. આ રીતે તેઓ બદલાયેલ જીવન આપે છે—આપણા જીવન માટે તેમનું જીવન.
  8. તેમણે જગતને શુદ્ધ કરીને, દાસત્વ અને નિસ્વાર્થતાનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું જે કરવા માટે તેઓ હાકલ કરે છે.
  9. એક વૃક્ષ ઉપર લટકીને તેણે આપણો શ્રાપ લઇ લીધો હતો જેથી આપણે દૃષ્ટતા પ્રત્યેની ગુલામીના શ્રાપમાંથી મુક્ત થઈ શકીએ.
  10. આદમે જે તોડ્યું હતું તેને તેઓએ ઠીક કર્યું હતું. આદમ, જે પ્રથમ માણસ સર્જાયો હતો, તે દૃષ્ટ ઈચ્છાઓ વગર જન્મ્યો હતો, પરંતુ તેના દૃષ્ટ કાર્યોએ દુનિયામાં મૃત્યુ લાવ્યું હતું. ઈસુ દૃષ્ટ ઈચ્છાઓ વગર જન્મ્યા હતા, પરંતુ તેમના પાપરહિત, સ્વૈચ્છિક મૃત્યુએ સંસારને જીવન આપ્યું હતું.
  11. તેઓ શરૂઆત અને અંત છે, તેથી જીવનની તમામ બાબતો તેમની પાસેથી ગળાઈને આવે છે.
  12. તેમણે મૃત્યુનો સ્વાદ ચાખ્યો હતો જેથી આપણે જીવનનો સ્વાદ ચાખી શકીએ. જો કે તેઓએ એવું કરવાની જરૂર નહોતી, તો પણ તેઓએ એ બતાવવા માટે બધું અનુભવ્યું હતું કે તેઓને દરેક વસ્તુ ઉપર અધિકાર છે.
  13. તેઓ સૌથી મહાન સેવક હતા, એવા કે જે લોકો તેમને ધિક્કારતા હતા તેમના માટે પોતાનો જીવ આપી દીધો હતો. આમાં, તેઓ કોઇપણ અન્ય કાર્ય કરી શકતા હતા તેના કરતા વધુ ઉંડાણથી તેમનો પ્રેમ દેખાડે છે.
  14. તેમનું પૂર્ણ લોહી આપણી બીમારી સાજી કરે છે અને આપણને અંત ન આવે એવું જીવન આપે છે.

સિદ્ધિઓ અને વચનોનો કેટલો અસાધારણ સમૂહ! તેનો આપણા માટે શું અર્થ છે?

ઈશ્વર જણાવે છે કે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યા હતા અને બધું સિદ્ધ કર્યુ હતું ત્યારે આપણે તેઓએ જે પુરસ્કારો મેળવ્યા હતા તેનો અનુભવ કરીએ છીએ. ઈસુએ આપણો શ્રાપ લઇ લીધો હતો જેથી આપણે દૃષ્ટતાના શ્રાપમાંથી મુક્ત થઈ શકીએ. આ વચન આપણને એ વિશ્વાસ આપે છે કે જેમ આપણે તેમનામાં આપણું જીવન અને આનંદ શોધીએ છીએ તેમ-તેમ તેઓ આપણને દૃષ્ટતાનો આનંદ માણવાના બદલે તેમને પ્રેમ કરવાનું અને તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત આપે છે.

જ્યારે એ ખરાબ આદતો જોઇએ છીએ કે જેને પહેલા આપણે નહોતા છોડી શક્યા ત્યારે આપણે નિરાશા અનુભવવાની જરૂર નથી. ઈસુએ આપણું ઋણ ચૂકવ્યું હતું તેથી ઈશ્વર આપણને શુદ્ધરૂપે જોઈ શકે. આ વચન આપણને એ વિશ્વાસ આપે છે કે કોઈપણ વસ્તુ આપણને એમનાથી દૂર નથી રાખી શકતી.

આપણને ઈશ્વરની કૃપાથી બચાવવામાં આવ્યા છે, નહીં કે જે આપણે કરીએ છીએ, તેથી આપણે આપણી પોતાની ક્ષમતાઓ પર ગૌરવ લઇ શકતા નથી. તો પણ, આપણા જીવનમાં બદલાવથી એ વાતની પુષ્ટિ થાય છે કે ઈશ્વર પર આપણો ભરોસો અને તેમના પ્રત્યેનો પ્રેમ સાચો છે. દાખલા તરીકે, જો કોઇ પુરૂષ એમ કહે કે તે તેની પત્નીને પ્રેમ કરે છે પરંતુ તે તેને પ્રથમ સ્થાને નથી ગણતો અને પ્રેમાળ વર્તન કરે છે તો તે સાબિત કરી રહ્યો છે કે તે હકીકતમાં તેણીને પ્રેમ નથી કરતો. તેની જીવનશૈલી તેના શબ્દોને નિરર્થક બનાવે છે, ભલે તેને તેણી પ્રત્યે ખૂબ લાગણી હોય તો પણ.

ઈશ્વર કોણ છે અને તેઓ જે વચન આપે છે તેમાં આપણો ભરોસો એ આપણને જીવન જીવવા માટે આપણે જે જરૂર છે એ કારણો અને તાકાત આપે છે જે તે આપણી પાસેથી માંગે છે. બાઈબલ જણાવે છે કે આવું પવિત્ર આત્મા દ્વારા થાય છે અને તે પવિત્ર આત્મા એ આપણી ખાતરી (પુરાવો) છે કે આપણે ઈસુના છીએ અને તેમના બલિદાનના કારણે ન્યાયી હોવાનું માનવામાં આવે છે.

ઈસુમાં આપણો ભરોસો આપણને શુદ્ધ જીવન જીવીને એ સાબિત કરવાની તાકાત આપે છે કે ખ્રિસ્તી તરીકે આપણે કોણ છીએ. આનો અર્થ એવો નથી થતો કે આપણે પૂર્ણ હોઈશું, પરંતુ જો આપણે ખ્રિસ્તી હોઈશું તો ઈશ્વર આપણને પૂર્ણ બનાવી રહ્યા હશે.

અને જો આપણે વફાદાર રહીશું તો આપણે બીજા જીવનમાં સંપૂર્ણ રીતે પૂર્ણ બનીશું.

ઈસુએ કહ્યું હતું કે આપણે દ્રાક્ષના વેલાની શાખાઓ જેવા છીએ. જ્યારે આપણે તેમના બની જઈએ છીએ ત્યારે આપણે તેમના જીવનમાં વેલાની એક શાખાને જોડાવાનું શરૂ કરીએ છીએ. તેમના મૂળ આપણને ખોરાક આપે છે અને વૃધ્ધિ પામવામાં આપણને મદદ કરે છે જ્યારે ઈશ્વર આપણને સુવ્યવસ્થિત કરવાનું ચાલુ રાખે છે જેથી આપણે સારા ફળ આપી શકીએ. ફળ કે જે તેઓ આપણી અંદર વિકસાવે છે તે છે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા તથા સંયમ.

જો ઈસુના જીવન પ્રત્યે આપણા વિશ્વાસ અને આપણા માટે મૃત્યુ દ્વારા ઈશ્વરના આત્માથી આપણા જીવનમાં બદલાવ આવે તો આપણા જીવનમાં બદલાવ એ સાબિતી આપે છે કે આપણી શ્રદ્ધા સાચી છે. આ વચનો આપણને વિશ્વાસ આપે છે કે તેમના મૃત્યુ દ્વારા તેમણે જે સિદ્ધ કર્યું છે તે આપણું છે.

આપણને આત્માના ફળથી બચાવવામાં નથી આવતા. જો આપણે સંયમનો મહાવરો કરીએ અને શાંતિ રાખીએ તો તે એ નથી કે જે આપણને બચાવે છે. પરંતુ જો આપણે નિરર્થક જીવન જીવીએ છીએ તો આપણે પ્રશ્ન કરવો જોઈએ કે આપણે ખ્રિસ્તીઓ છીએ કે કેમ.

તેમનું લોહી પાણી છે અને આપણું જીવન શાખાઓ છે. મજબૂત અને પરિપક્વ થવા માટે આધ્યાત્મિક્તામાં સમય વિતાવો.

વધુ ઉંડાણમાં જાણો

યશાયા 52:13 વાંચો - 53:12, એ ઈસુના જીવનના લગભગ 700 વર્ષ પૂર્વે લખાયેલ એક ભવિષ્યવાણીનો વિભાગ છે. પછી યોહાન 19:16-42 વાંચો. આ વિભાગો અંગે તમારા વિચારો અને પ્રશ્નો લખી લો અને બીજા ખ્રિસ્તીને જણાવો. ઈસુ તમને સાજા કરવા માટે મૃત્યુ પામ્યા હતા તે વિચાર તમને ભાવનાત્મક રીતે કેવી રીતે પ્રભાવિત કરે છે?

અગાઉના યાદી યાદી પછીનું