Languages

પાઠ 4

જ્યારે આપણે ઈસુએ મૃત્યુ પામીને શું સિદ્ધ કર્યું તેના વિશે વાત કરી હતી ત્યારે આપણે જોયું કે તેમની જાત વિશે તેમના દાવાઓ ઉપર ભરોસો રાખવાથી આપણને તેમના વચનોની ખાતરી મળે છે, પરંતુ આપણા જીવનમાં તેમના વચનોને સાચા બનાવવા માટે આપણે વલણ અને વર્તનમાં પણ બદલાવ લાવવાની જરૂર છે.

બદલાવની શરૂઆત વાંચનથી અને તેઓએ જે તેમની જાત વિશે કહ્યું હતું અને તેઓ જે આપણા વિશે કહે છે તેના ઉપર ભરોસો રાખીને થાય છે. અહીં ઈસુ આપણા વિશે જે કહે છે તેનાથી વિપરીત ઈસુ તેમની પોતાની જાત વિશે જે કહે છે તેના થોડા ઉદાહરણો આપેલા છે.

  1. ઈસુ સંપૂર્ણ રીતે સારા છે. આપણે દૃષ્ટતાથી ભરેલા છીએ.
  2. ઈસુ આપણને પ્રેમ કરતા હતા. આપણે તેમને ધિક્કારતા હતા.
  3. ઈસુએ આપણને પસંદ કર્યા હતા. આપણે તેમનો અસ્વીકાર કર્યો હતો.
  4. ઈસુએ ઈશ્વરની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કર્યુ હતું. આપણે ઈશ્વરના નિયમો સામે બળવો કર્યો હતો.
  5. ઈસુએ સ્વૈચ્છિક રીતે આપણા સહિત, તેમના શત્રુઓ માટે પીડા ભોગવી હતી. આપણે આપણા સ્નેહીજનો માટે પણ પીડા ભોગવવા તૈયાર રહ્યા નથી.
  6. ઈસુ સૌથી મહાન સેવક હતા. આપણે સેવા કરવા નહીં પરંતુ સેવા કરાવવા માંગીએ છીએ.
  7. ઈસુ મૃત્યુમાંથી જીવીત થયા હતા. આપણે આપણી કબરોમાં પડીશું એ નક્કી છે, તેમ છતાં પણ આશા છે કારણ કે ઈસુ આપણને તેમનું જીવન આપે છે.

ઈસુ ઈશ્વર છે, છતાં પણ હકીકતમાં માનવ છે. તેઓ અત્યાર સુધી જીવેલા સૌથી ઉમદા માણસ છે અને તેઓએ આપણને પ્રેમ કરવાનું અને આપણા પ્રેમને મેળવવાનું ત્યારે પસંદ કર્યું હતું જ્યારે આપણે તેમના શત્રુ હતા.

ઈસુ પાસે નમ્રતા સાથે ગયા વગર કોઇપણ વ્યક્તિને તેમના દ્વારા બદલી શકાતી નથી. ઈસુ એ જાદુઈ મંત્ર નથી. તેઓ એક એવી વ્યક્તિ છે જે આપણા મનમાં આવનારા દરેક વિચારોને જાણે છે.

બાઈબલ જણાવે છે કે ઈશ્વર અભિમાનીનો વિરોધ કરે છે પરંતુ નમ્ર લોકોને કૃપા આપે છે. જો આપણે ઈસુનો માત્ર આપણે જે જોઈએ છે તે મેળવવા માટે ઉપયોગ કરવાની ઈચ્છા સાથે સંપર્ક કરીએ તો, આપણને તેમના દ્વારા ક્યારેય આવકાર મળશે નહીં. જ્યાં સુધી આપણે આપણી દૃષ્ટતાથી દૂર ન જઈએ અને તેને ધિક્કારવાનું શરૂ ન કરીએ અને તેના બદલે તેની ભલાઈ પસંદ ન કરીએ ત્યાં સુધી આપણે ક્યારેય તેમને અથવા તેમના વચનોના લાભને ઓળખી શકીશું નહીં.

દૃષ્ટતા ઉપર આ દિલગીરીનું વલણ, ઈસુની ભલાઈ માટેની જુસ્સાપૂર્વકની ઈચ્છા સાથે—અને તેમના વચનોમાં ગાઢ વિશ્વાસ—એ આપણી નવી સામાન્ય દિનચર્યા બને છે. જ્યારે આપણે બાઈબલમાં તેઓ જે કહે છે તે વાંચીએ છીએ, પછી પ્રાર્થના કરીએ છીએ અને તેમની ઈચ્છા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણું વલણ અહંકારીમાંથી નમ્રતામાં બદલે છે. આપણે તેમના જેવા બનવાનું શરૂ કરીએ છીએ.

ઈસુ આપણા હૃદયને જુએ છે. આપણે દૃષ્ટતાને ધિક્કારવાની અને તેને બદલવા માટે તેમની ભલાઈની ઈચ્છા રાખવાની જરૂર રહે છે. પછી, જ્યારે આપણે ઈસુને માફ કરવાનું કહીશું ત્યારે તેઓ માફ કરી દેશે.

જ્યારે આપણે સાચી નમ્રતા સાથે તેમની પાસે જઈએ છીએ ત્યારે તેઓ આપણને આપણી નિરાશાભરી સ્થિતિમાં મળે છે અને આપણા હૃદયને સુધારવાનું શરૂ કરે છે. આ ત્યારે થાય છે જ્યારે આપણે પ્રમાણિકતાથી આપણી જાતને જોઈએ છીએ અને સત્ય સાથે સહમત થઈને આપણું જીવન જીવીએ છીએ કે જે ઈશ્વરે તેમની ભલાઈમાં પ્રેમ કરવાનું અને વિકસાવવાનું પસંદ કર્યુ છે ત્યારે ઈશ્વર આપણને જીવન, આનંદ અને પ્રેમ આપે છે.

શું તે સુંદર નથી કે તે આપણને પ્રક્રિયામાં કેવી રીતે જોડે છે?

જો તમે તમારા દૃષ્ટતા અંગે શરમ અનુભવો છો તો, સારું છે! તેમની પાસે દોડી જાઓ. નમ્રતામાં ઘૂંટણીએ પડો અને તમારી જાત વિશે તમને સત્ય બતાવવા બદલ તેમનો આભાર માનો. તે સાબિતી છે કે ઈસુ પ્રેમથી તમને અનુસરી રહ્યા છે.

તમારા દૃષ્ટતાથી દૂર થઈ જાઓ અને તેના બદલે ઈસુ તરફ વળો. તમારી જાતને બાઈબલમાં દાટી દો. તમારી જાતને પ્રાર્થનામાં ડુબાડી દો. ઈસુ કોણ છે અને તેઓ તમારી અંદર અને તમારા દ્વારા શું કરવાનું વચન આપે છે તેના ઉપર ધ્યાન કરો. તેમના તાબે થાઓ જેથી તમે તેમને આંનંદ આપી શકો અને તેમની સાથે નિકટ મિત્રતામાં જીવી શકો. યાદ રાખો કે તેમનો પ્રેમ અને વચનો જ તમને શુદ્ધ જીવન જીવવાની તાકાત અને અધિકાર આપે છે.

આ એક સતત, દૈનિક પ્રક્રિયા છે. જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે અપરાધભાવ કે નિરાશાની ભાવનામાં જકડાઈ જશો નહીં. તમે જે ક્ષણે નિષ્ફળ થાઓ છો, એ જ ક્ષણ છે તમારે ઈશ્વર તરફ વળવાની સહુથી વધારે જરૂર હોય છે.[ એ વિચાર કે તમારી દૃષ્ટતા ઈશ્વર કરતા વધુ શક્તિશાળી છે તે હાસ્યાસ્પદ છે અને અહંકારી છે. ઈસુએ તમને ત્યારે પણ પ્રેમ કર્યો હતો જ્યારે તમે તેમની વિરુદ્ધ જીવ્યા હતા. અલબત્ત તેઓ હવે તમને માફ કરી દેશે કારણ કે તમે તેના બાળક છો! તેઓ તમારી દૃષ્ટતા કરતા વધુ બળવાન છે અને તેઓ તમને તમે તમારી જાતને નાપસંદ કરો છો તેના કરતા વધારે પ્રેમ કરે છે. તેના પર વિશ્વાસ રાખો અને તમે આશા ગુમાવશો નહીં.

વધુ ઉંડાણમાં જાણો

1 યોહાન 1, એફેસી 5:8, અને યોહાન 11:9-10, વાંચો, પછી ક્ષમા અંગેની તમારી સમજણ અને “આધ્યાત્મિક્તામાં પ્રવેશ કરવાનો”નો શું અર્થ થાય છે તેની નોંધ કરો. તેના વિશે પ્રાર્થના કરો, પછી વિશ્વસનીય ખ્રિસ્તી મિત્ર સાથે પ્રામાણિકતાથી ચર્ચા કરો. શું તમે આધ્યાત્મિક્તામાં દાખલ થઈ રહ્યા છો? જો નહીં તો આધ્યાત્મિક્તામાં દાખલ થવા માટે તમે આજે ક્યા ફેરફારો કરી શકો છો?

અગાઉના યાદી યાદી પછીનું