પાઠ 6
જો તમે ઈસુ સાથે તમારી સફર શરુ કરી હોય તો, એ વાતનો વિશ્વાસ રાખો કે તેઓ તમારી સાથે છે કારણ કે તમે થોડા સમયમાં જ નિરાશ થઈ જશો.
જ્યારે તમે નિરાશ થાઓ છો ત્યારે યાદ રાખો કે ઈશ્વર દરેક વસ્તુ કરતા વધુ શક્તિશાળી છે - જેમાં તમારી નબળાઈનો સમાવેશ થઇ જાય છે. વિશ્વાસ રાખો કે તે તમારું જીવન બદલી રહ્યા છે અને તમને નવા બનાવી રહ્યા છે.
જ્યારે આપણે નિષ્ફળ જઈએ અને એવું માનવા માટે પ્રેરાઈએ કે આપણે આશાવીહિન છીએ ત્યારે આપણે આપણી જાતને યાદ અપાવીએ છીએ કે આપણે વિકાસ પામીએ છીએ માત્ર એટલા માટે નહીં કારણ કે આપણે સારા છીએ (આપણે નથી), પરંતુ કારણ કે ઈસુ તેમનામાં આપણા વિશ્વાસ દ્વારા અને તેમને પ્રેમ કરવા, આદર કરવા અને તેમની આજ્ઞાનું પાલન કરવાના આપણા પ્રયત્નો દ્વારા તેઓ આપણી અંદર કામ કરે છે.
શું ઈસુ એટલા શકિતશાળી છે કે તેઓ આપણને હમણાં જ એક દૃષ્ટ નિર્ણય લેવાથી રોકી શકે? ચોક્કસ તેઓ છે! આપણા જીવનમાં સારી દરેક વસ્તુ તેમના તરફથી આવે છે. આપણું સારું વર્તન તેમના દ્વારા સંચાલિત થાય છે કારણ કે તેઓ આપણી શ્રધ્ધા, પ્રેમ અને પ્રયત્નો દ્વારા કામ કરે છે ત્યારે.
અને શું તેઓ તમને દૃષ્ટતાથી દૂર રાખવામાં વિશ્વાસપાત્ર છે? કોઇપણ શંકા વગર!
તો આપણે શા માટે આટલા અસમર્થ હોવાનું અનુભવીએ છીએ? કારણ કે તેઓ આપણને નબળું અનુભવવા દે છે જેથી આપણે તેમના ઉપર આધાર રાખીએ. તમારી નબળાઈથી તમને મૂર્ખ ન બનવા દો. તેના બદલે, તેને તમારી તાકાત બનાવવા માટે તમે ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકો છો એ કારણ બનવા દો.
તેથી, ઈશ્વરમાં આપણા વિશ્વાસને કઈ બાબત ભંગ કરી જાય છે? જ્યારે આપણે અચાનક શંકા કરીએ છીએ કે આપણી પાસે આજ્ઞા માનવાની તાકાત છે કે કેમ, તો શું બદલાયું હતું?
આપણે ભૂલી ગયા કે ઈશ્વર કોણ છે. આપણે ભૂલી ગયા કે તેમનામાં આપણે કોણ છીએ. આપણે આપણા વિશ્વાસમાં ડગમગ્યા છીએ કે તેઓ આપણને દૃષ્ટતા પસંદ કરવાથી રોકી શકે એટલા પૂરતા શક્તિશાળી છે. અને હકીકતમાં, આપણે આપણા હૃદયને તેમનાથી દૂર બીજી બાબતો પાસે ભટકવા દઈએ છીએ.
તે છેલ્લી ભૂલ એ ચાલાકીભરી અને સૌથી વધુ નુકશાન કરનારી છે. દરેક દૃષ્ટ ભૂલ આપણા હૃદયને ઈસુથી દૂર ભટકવા દેવા સાથે શરૂ થાય છે. આ જ કારણથી દરરોજ બાઈબલ વાંચવાની, પ્રાર્થના કરવાની અને આરાધના કરવાની આદત ચીવટપૂર્વક વિકસાવવી બહુ જરૂરી છે. કારણ કે આપણે સરળતાથી વિચલિત થઇ જઈએ છીએ અને આપણી યાદશક્તિ ટૂંકી છે.
આપણે કદી એ ભૂલી શકતા નથી કે ઈશ્વર એ આપણું જીવન છે. મુક્તિ કવિતામાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, “બદલો જીવન મારું હવે કરો નવું.” તે સ્વીકારે છે કે ઈસુને જાણ્યા પછી આપણું જીવન ક્યારેય એકસરખું રહેવાનું નથી અને આ વાત તેઓ જે છે તેના કારણે સો ટકા સાચી છે.
શું તમારો એવો કોઇ મિત્ર કે પરિવારનો સભ્ય છે જેને તમે પાગલોની જેમ પ્રેમ કરો છો? તમે શા માટે તેમને પ્રેમ કરો છો? શું તે એટલા માટે છે કારણ કે તમે એક સારી વ્યક્તિ છો?
એક વાર, કોઈક વ્યક્તિએ એક પુરૂષને પૂછ્યું હતું કે શું એ તેની પત્નીને પ્રેમ કરે છે કારણ કે તે એક સારી વ્યક્તિ છે. આ બાબતે તે પુરૂષને મૂંઝવણમાં મૂક્યો હતો અને થોડો નારાજ કર્યો હતો. તે તેણીને પ્રેમ કરતો હતો કારણ કે તેણી અદભૂત હતી! તેણી માટેના તેના પ્રેમને તે સારો છે કે નહીં તેની સાથે કશું જ લાગતુ વળગતુ નહોતું. હકીકતમાં, તે જાણતો હતો કે તે સારો નહોતો અને તે તેણીને વધુ પ્રેમ કરતો હતો કારણ કે તેણી તેને તેનામાં ભલાઈનો અભાવ હોવા છતાં પણ પ્રેમ કરતી હતી.
ઈસુ માટેનો આપણો પ્રેમ તેના જેવો છે, આપણે કેટલા સારા છીએ તેની સાથે તેને કશું જ લાગતુ વળગતુ નથી. આપણે તેમને પ્રેમ કરીએ છીએ કારણ કે તેઓ અદભૂત છે. આપણે દરરોજ, તેમના અદભૂત ગુણો વિશે ત્યાં સુધી વિચારવુ જોઈએ કે જ્યાં સુધી આપણે એવું ન અનુભવીએ કે તેમના માટેનો આપણો પ્રેમ આપણા કણેકણમાં સમાઈ નથી ગયો.
ત્રણ પ્રથાઓ કે જે આ કેળવે છે, તે છે બાઈબલ વાંચવું, પ્રાર્થના કરવી અને આરાધના કરવી.
શું તમને શંકા છે કે આ કામ કરશે?
ઈશ્વરના વચનો વાંચો કે તેઓ ક્યારેય તમને છોડશે નહીં કે તમારો ત્યાગ કરશે નહીં. કે તેમણે તમારામાં શરૂ કર્યું હતું તે સારું કાર્ય તેઓ પૂર્ણ કરશે. કે જ્યારે તમે તેમને ધિક્કારતા હતા ત્યારે તેઓ તમને પ્રેમ કરતા હતા અને તેઓએ તમને તેમના બનવા માટે પસંદ કર્યા છે. કે તમારા પોતાના અવિશ્વાસ અને ઈરાદાપૂર્વકની દૃષ્ટતા સિવાયની કોઇપણ બાબત તેમના પ્રેમથી તમને અલગ કરી શકતી નથી, અને તેઓએ ક્ષમા આપી છે અને તમને સ્વીકાર્યા છે.
જ્યારે તમને શંકા હોય કે તેઓ તમારા મગજને નવું બનાવી રહ્યા છે ત્યારે, તમારી જાતને યાદ અપાવો કે તેઓ આવું તેમના શબ્દ દ્વારા કરે છે. જ્યારે તમને શંકા હોય કે તમારી પાસે દૃષ્ટતાને દૂર કરવાની તાકાત છે ત્યારે તમારી જાતને એવા સમયની યાદ અપાવો જ્યારે તેમણે ભૂતકાળમાં દૃષ્ટતા ઉપર વિજય મેળવવા માટે તમને બળ આપ્યું છે. જ્યારે તમને શંકા હોય કે તમે તેમને પ્રેમ કરી શકો છો, ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તેઓ એટલા બધા અદભૂત છે કે પ્રેમ કરી શકાતો નથી. જ્યારે તમને શંકા હોય કે તમે કોઈપણ બાબત સારી કરી શકો છો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારા જીવનમાં દરેક સારી બાબત તેમની પાસેથી આવે છે.
તેઓ તમને બદલી રહ્યા છે અંને તમને સતતપણે નવા બનાવી રહ્યા છે તેવી શ્રદ્ધા રાખીને નમ્રતા, પ્રેમ અને વ્યવહારૂ આજ્ઞાનું પાલન કરતા ઈસુ પાસે જાઓ.
ઈશ્વરનો આત્મા આપણી અંદર રહે છે, પ્રેમપૂર્વક આપણને એવી રીતે બદલે છે જેની આપણે ભાગ્યે જ નોંધ લઇ શકીએ છીએ. આપણું તેમની સાથે જીવન એ રીતે સહિયારું હોય છે જે રીતે એક અજન્મેલ બાળક તેની માતાના લોહી સાથે સહિયારું હોય છે. બાળક અને માતા અલગ વ્યક્તિઓ રહે છે પરંતુ તેમનું જીવન સુંદર રીતે એકસાથે મળી જાય છે. આ જ રીતે, પવિત્ર આત્મા ઈસુના લોહી દ્વારા આપણા આત્માઓને જીવન આપે છે.
તેમનો આત્મા એ છે કે જેને આપણે આપણી અંદર ત્યારે અનુભવીએ છીએ જ્યારે આપણે તેમની પ્રાર્થના અને આરાધના કરીએ છીએ. આપણી અંદર તેમનો આત્મા રહેતો હોવાની અનુભુતિ એક આવશ્યક દૈનિક અનુભવ છે. આપણી અંદર રહેતા તેમના આત્માની સતત અનુભુતિ વગર આપણે નબળા છીએ. પરંતુ તેમની સાથે, તેમનો આત્મા આપણને અન્ય કોઈ બાબત કરી ન શકે એટલા મજબૂત બનાવે છે.
વધુ ઉંડાણમાં જાણો
રોમન 12:1-21 વાંચો. આ ફકરો આપણા જીવનમાં ફેરફાર બતાવે છે જે ત્યારે આવે છે જ્યારે આપણે સાચી શ્રદ્ધા સાથે આપણું જીવન ઈશ્વરને શરણે કરીએ છીએ. તે આધ્યાત્મિક નવીનીકરણ કેવું દેખાય છે અને અનુભવાય છે તેની ઝાંખી આપે છે. ઈશ્વર તમારું કેવી રીતે નવીનીકરણ કરી રહ્યા છે તે નોંધો અને જણાવો. હાલમાં તેઓ ક્યાં સૌથી વધુ કામ કરી રહ્યા છે? તેઓ કેવી રીતે ધીરજપૂર્વક તમને વિકાસ અને પરિપક્વતાના માર્ગ પર લઈ જઈ રહ્યા છે તેના અંગે વિચાર કરો. શું તમે પુરાવો જોઈ શકો છો કે તેઓ તમારા પ્રત્યે દયાળુ રહ્યા છે?