પાઠ 3
આપણી આશાથી વધુ એ પણ જાણવાનું છે કે ઈસુ મૃત્યુમાંથી જીવીત થયા હતા અને કાયમ માટે જીવીત છે. જો ઈસુ હજુ પણ મૃત હોત તો આપણે તેમના જીવનનો અનુભવ કરી શકત નહીં. હજુ પણ આપણી અંદર જીવી રહેલ તેમનો આત્મા એ તેઓ આપે છે તે સૌથી ઉમદા ભેટોમાંની એક ભેટ છે.
ઈશ્વર સાથેનું જીવન આંશિક રીતે સંભવ બને છે કારણ કે તેમનું મૃત્યુ આપણને તેમની નજરમાં શુદ્ધ બનાવે છે, પરંતુ તે તેમના મૃત્યુમાંથી જીવીત થઈને અને કાયમ માટે સ્વર્ગમાં અને આપણામાં રહીને તેમના દ્વારા વાસ્તવિક બનાવવામાં આવે છે. આ જ રીતે આપણને આપણે મૃત્યુ પામીએ પછી કાયમ માટે જીવવાનું વચન આપવામાં આવે છે, કારણ કે આપણે આપણું નિરાશાજનક જીવન ઊતારી ચુક્યા હોઈશું અને આપણી પાસે માત્ર તેમનું ક્યારેય અનંત જીવન જ બચ્યું હશે.
ઈસુ એ ખરેખર ઈશ્વર છે, અને ખરેખર એક માણસ છે. આદમ અને હવા, પ્રથમ પુરૂષ અને સ્ત્રી, કાયમ માટે જીવવા માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમના દૃષ્ટ નિર્ણયોએ તેમને મારી નાખ્યા હતા. દૃષ્ટતા એ છે જે આપણને પણ મારી નાખશે. દૃષ્ટતા છે તે જ કારણથી આપણે બધા મૃત્યુ પામીએ છીએ, પરંતુ ઈસુ કાયમ માટે જીવે છે કારણ કે તેઓએ ક્યારેય કશું જ દૃષ્ટ કર્યું નહોતું. આ બતાવે છે કે તેઓ ઈશ્વર હતા કારણ કે ફક્ત ઈશ્વર જ સંપૂર્ણ છે.
જો કે ઈસુ મૃત્યુ પામ્યા હતા તો પણ, શેતાને તેમને માર્યા નહોતા. તેઓએ સ્વૈચ્છિક રીતે તેમના જીવનનો ત્યાગ કર્યો હતો, અને મૃત્યુ તેમને રાખી શક્યું નહોતું કારણ કે તેમણે ક્યારેય ખોટું કર્યું નહોતું. તેમની શુદ્ધતાએ તેમને તેમનું જીવન પાછું લેવાનો અધિકાર આપ્યો હતો.
તેથી, આ તે હતું જે તેમણે કર્યું હતું.
ઈસુ ફરી જીવીત થયા હતા, તેમની તાકાત, દૈવત્વ, પૂર્ણ માનવતા અને આપણને જીવન આપવાની અને આપણને મૃત્યુમાંથી પાછા લાવવાની ક્ષમતા બતાવી. પરંતુ તેનાથી વિશેષ, તેઓ પાછા આવ્યા જેથી આપણે કાયમ માટે તેમની સાથે ગાઢ મિત્રતામાં રહી શકીએ.
ચાલો આપણે થોડું આના વિશે વિચારીએ.
આપણે ક્યારેય એકલું રહેવું પડતું નથી કારણ કે તેઓ આપણી અંદર રહે છે. આપણી પાસે દરરોજ દરેક ક્ષણે તેમની નજર હોય છે.[16] આપણે તેમની સામે પ્રાર્થના કરી શકીએ છીએ અને તેમની લાગણીને આપણા હૃદયમાં ઉભરાતી અનુભવી શકીએ છીએ. તેઓ આપણા વિચારોને જાણે છે અને આપણને પ્રેમ કરે છે. તેઓ આપણને શુદ્ધ જીવન જીવવાની તાકાત આપે છે. આપણે તેમના પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા તથા સંયમમાં જીવી શકીએ છીએ. જ્યારે આપણે તેમનામાં આપણું જીવન શોધીએ છીએ ત્યારે તેઓ આપણને પરિપૂર્ણ જીવન આપે છે.
બાઈબલ કહે છે કે અસ્તિત્વ માટેનું આપણું કારણ એ ઈસુ સાથે નિકટ સંબંધમાં જીવવાનું છે. પૃથ્વી ઉપરના કોઇપણ અન્ય વ્યક્તિ કરતા વધુ તેમની નજીક જીવન જીવવું. તેમને કોઇપણ વસ્તુ કરતા અથવા કોઇપણ અન્ય વ્યક્તિ કરતા વધુ પ્રેમ કરવો. અને કાયમ માટે ખુશીપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું અને તેમની આરાધના કરવી.
કારણ કે આપણું અસ્તિત્વ ઈસુને ચાહવા માટે અને તેમની સાથે જીવન જીવવા માટે છે, તેથી બાઈબલ ખ્રિસ્તીઓને “ઈસુની વધૂ” કહે છે. બાઈબલ એ પણ કહે છે કે એવી કોઇપણ વ્યક્તિ જે તેમનો ઇનકાર કરે છે તે ધિક્કારને પાત્ર બને છે. આપણું લક્ષ્ય ઈસુની નજીક છે. એવી કોઇપણ વ્યક્તિ જે ઈસુને ધિક્કારે છે તે તેમની નજીકમાં જશે નહીં; તેના બદલે, તેઓ કાયમ માટે તેમનાથી અલગ થઈ જશે.
આ એક ભય છે જેની બહુ થોડા લોકો કલ્પના કરી શકે છે. ઘણા લોકોને એ નથી જાણતા કે જે કોઇ જીવન કે આનંદ આપણે મેળવીએ છીએ તે ઈશ્વર પાસેથી આવે છે. જીવનમાં, આપણી પાસે સરળ આનંદોની પહોંચ છે કારણ કે તે આપણા માટે તેમણે ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે આપણે મૃત્યુ પામીશું ત્યારે તે બધું જ લઇ લેવામાં આવશે અને ક્યાં તો આપણી પાસે ઈસુ અને અનંત આનંદ રહેશે અથવા અલગ અને પીડાનો ભય રહેશે.
આપણે એ જોવાની શરૂઆત કરીએ છીએ કે ઈસુની નજીક વિશ્વમાં સૌથી મહાન લક્ષ્ય છે. એ હકીકત કે આપણે તેમની સાથે શાંતિ અને જીવનનો હવે અનુભવ કરી શકીએ છીએ એ જીવનમાં સૌથી ઉમદા આનંદ છે. કોઇપણ વ્યક્તિ જે ઈસુ સાથેની ખરેખર નિકટતામાં જીવ્યો છે તે તમને બતાવશે કે તે તમામ કરતા ઉત્તમ છે.
શરૂમાં તેમને આપણા આત્મામાં આવવા દેવા એ ભયભીત કરનારું લાગે છે કારણ કે તેઓ આપણી દૃષ્ટતાને ખુલ્લા પાડી દે છે અને આપણને શરણે થવા માટે દબાણ કરે છે.[33] પરંતુ જેમ આપણે શરણે થઈ જઈએ છીએ તેમ-તેમ તેઓ મીઠી રૂઝ આપે છે અને આપણને સહન કરવાની અને વૃધ્ધિ પામવાની તાકાત આપે છે.
જો તમે ઈસુને અનુસરશો અને તેમના શરણે જશો તો તેઓ તમારો સૌથી મોટો આનંદ બનશે અને તેઓ તમારું જીવન બદલશે અને તમને પવિત્ર બનાવશે.
પછી, તમારા મૃત્યુ બાદ તમે તેમની નજીક સ્વર્ગમાં સાથે હશો.
વધુ ઉંડાણમાં જાણો
રોમન 1:1-7, 1 કરિંથી 15:1-5, અને રોમન 10:9-10 વાંચો. આ પુનરુત્થાન થયા પછી પુનરુત્થાન અંગેની વિગતો છે. ત્યાર પછી દાનીયેલ 12:2, અયુબ 19:23-27, યશાયા 26:19-21, હોશિયા 6:1-2, સંખ્યાઓ (આ સંદર્ભની સમજ મેળવવા માટે યોહાન 3:14-15 પણ વાંચો), ગીત શાસ્ત્ર 16:9-10, અને ગીત શાસ્ત્ર 71:19-24 વાંચો. આ ઈસુના પુનરુત્થાન અંગેની અને જેઓ તેમને વફાદાર રહીને મૃત્યુ પામ્યા છે તેના વિશેની વિગતો છે, જે ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા તેના બહુ સમય પહેલા લખાયેલી છે. ઈસુના પુનરુત્થાનનો તમારા માટે શું અર્થ છે તે નોંધી લો અને તમે શા માટે લાગે છે કે મૃત્યુમાંથી તેમનું ફરી જીવીત થવું મહત્વનું છે. જો તમને કોઈ પ્રશ્નો હોય તો બીજા ખ્રિસ્તી સાથે તેની વાત કરો.