પાઠ 10
ચર્ચ એ એવી કોઇપણ વ્યક્તિ છે જેને ઈશ્વર દ્વારા બચાવવામાં આવ્યા છે. આપણે ચર્ચ છીએ.
જો આપણે કહીએ છીએ કે “આપણે ચર્ચની જરૂર નથી,” તો હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે “આપણે અન્ય કોઇ ખ્રિસ્તીની જરૂર નથી અને આપણે પોતે ખ્રિસ્તી બનવાની જરૂર નથી.”
આપણે ઈશ્વરના પરિવારનો છીએ. આ પરિવારનો ભાગ બનવું એ આપણને ખ્રિસ્તી જીવન જીવવામાં મદદરૂપ બને છે. આપણે એકબીજાની જરૂર છે કારણ કે એકબીજા વગર, કોઈ પરિવાર નથી. પ્રેમપૂર્વક એકબીજાને મદદ કર્યા વગર, આપણે અલગ પડી જઈશું. ઈશ્વરે આપણને તેમની સાથે ભેગા રહેવા માટે બનાવ્યા હતા. જો આપણે અન્ય લોકોની સાથે સમુદાયમાં હળીમળીને નહીં રહીએ તો આપણે બિલકુલ જીવી શકીશું નહીં.
આગમાંથી કાઢેલા કોલસાની જેમ જો આપણે એકલા હોઈશું તો આપણી આગ બુઝાઈ જશે. પરંતુ જો આપણે એવા અન્ય ખ્રિસ્તીઓની આસપાસ હોઈશું કે જેમના હૃદયમાં જુસ્સો ભરેલો છે તો આપણી જ્યોત વધુ તેજસ્વી બની જશે.
બાઈબલ આપણને એ પણ કહે છે કે બધા સાથે મળવાની ઉપેક્ષા કરશો નહીં. જો તમે બાઈબલ વાંચવા, પ્રાર્થના કરવા અને ખ્રિસ્તી જીવન જીવવા માટે એકબીજાને પ્રોત્સાહિત કરવા માટે બીજા વિશ્વાશીઓને નિયમિત રીતે મળતા નથી તો, તમે છેવટે ઈશ્વરથી દૂર જશો. આ રીતે અન્ય ખ્રિસ્તીઓ સાથે રહેવાથી આપણને વિકસવામાં મદદ મળે છે; તે આપણને પ્રોત્સાહિત અને રોમાંચિત પણ કરે છે. તે આપણને આપણી કુદરતી સ્વાર્થી પ્રકૃતિમાંથી પણ બહાર કાઢે છે.
આપણે એકબીજાને માત્ર એટલા માટે નથી મળતા કારણ કે આપણે મળવું પડે છે. આપણે એકબીજાને મળીએ છીએ કારણ કે સાથે મળીને રહેવું તે એક ભેટ છે. તેનો અર્થ એવો નથી કે આપણે આપણા ખ્રિસ્તી મિત્રોના ઘર પર મળવું પડે, ભલે તે સુંદર અને મહત્વનું હોય તો પણ. આપણે તેનાથી પણ વધુની જરૂર છે.
આપણે ખરેખર શેની જરૂર છે?
આપણે પ્રેમાળ મિત્રો, વ્યક્તિગત જવાબદારી, નક્કર શિક્ષણ, બાઈબલની સત્તા અને અન્ય લોકોને ઈસુની નજીક લઇ જવાની તકોની જરૂર છે.
આપણે એવા પાદરીઓ અને વડીલોના નિયંત્રણ હેઠળ જીવન જીવવાની જરૂર છે જેમને તેમની જીવનશૈલીમાં તેમની વફાદારી સાબિત કર્યા પછી તેમના હોદ્દા આપ્યા છે અને ઈશ્વર અને તેમના શબ્દને જાણવામાં ખરેખર આગળ વધી રહ્યા છે. જો આપણે એવા લાયકાત ધરાવનાર શિક્ષકો જેઓ જે સુવાર્તા આપે છે એ મુજબનું જીવન જીવે છે તેમના નિયંત્રણ હેઠળ ન હોઈએ તો ઈશ્વર વિશેની આપણી માન્યતાઓ જે ઈશ્વરે ક્યારેય ઈચ્છી ન હોય એવી કોઈક બાબતમાં બદલાઈ શકે છે.
મોટા ભાગના લોકો એવું પસંદ નથી કરતા કે બીજા લોકો તેમને ખાસ રીતે જીવન જીવવા માટે જવાબદાર ગણે. એ અગવડતાભર્યું છે કે આપણી જીવનની તપાસ કરાવવામાં આવે અને એવું કહેવામાં આવે કે આપણે ગોટાળા કરી રહ્યા છીએ અને આપણે બદલાવાની જરૂર છે. પરંતુ જો આપણને જવાબદાર ગણવામાં નહીં આવે તો જ્યાં સુધી આપણી ભૂલો મોટી નહીં થઈ જાય અને લોકોને નુકશાન નહીં કરે ત્યાં સુધી તે થતી જ જશે.
ચર્ચનો ભાગ બનીને, લાયકાત ધરાવનાર શિક્ષકો હેઠળ કે જેઓ બાઈબલમાં રજૂ કરવામાં આવ્યું હતું તેના જેવા દેખાય છે, આપણે આપણી જાતને જવાબદાર ગણીએ છીએ.
લાયકાત ધરાવનાર શિક્ષકોનું નિયંત્રણ આપણું એવા લોકોથી રક્ષણ પણ કરે છે જેઓ અન્ય લોકો સાથે દુર્વ્યવહાર કરવા ઈચ્છે છે. જો આપણી સાથે ગેરવ્યવહાર કરવામાં આવ્યો હોય તો તે આપણને એવા લોકો આપે છે જેની પાસે આપણે મદદ માટે જઈ શકીએ છીએ. અવારનવાર આપણને એવી કોઈક વ્યક્તિ જોઈએ છે જે આપણને ટેકો આપે.
અંતમાં, તે આપણને સમુદાય માટે એક માળખું આપે છે જ્યાં આપણે અન્ય લોકોને ઈસુની નજીક લાવવામાં મદદ કરવા માટેનો રસ્તો શોધી શકીએ છીએ. આપણે તે ભૂલી શકતા નથી કે ઈશ્વર આપણું જીવન બદલે છે, તેઓ આપણને અન્ય લોકોને પણ તેમના વિશે શીખવવાનું કહે છે.
અસંગઠિત જગ્યાએ પ્રચાર કરવો સરળ છે, પરંતુ લોકોને તાલીમ આપીને કેળવવા એ લાંબાગાળાની પ્રતિબદ્ધતા છે. આપણે હંમેશા શિષ્યો બનાવવા જોઈએ કે જ્યારે આપણી જાતને પાદરીઓ અને વડીલોના નિયંત્રણમાં સમર્પિત કરીએ છીએ, જેઓ આપણને લોકોને ખોટી રીતે દોરતા અટકાવી શકે છે અથવા જેમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેમને નુકશાન પહોંચાડતા રોકી શકે છે.
તમે ધાર્મિક સમુદાય કેવી રીતે શોધો છો? પ્રથમ, ઈશ્વરને કહો કે તમને મદદ કરે. પછી આસપાસ લોકોને કહો. એવા લોકોને જુઓ જેઓ શુદ્ધ, પ્રેમાળ જીવન જીવી રહ્યા છે અને એ શોધો કે તેઓ ક્યા ચર્ચમાં જાય છે. ચર્ચમાં જવાનું શરૂ કરો. એવું ચર્ચ શોધો કે જ્યાં લોકો સ્વાગત કરી રહ્યા હોય, સાચા હોય અને પ્રેમાળ હોય. એવા પાદરીઓ અને વડીલો શોધો જેઓ બાઇબલ જે સ્પષ્ટપણે શીખવે છે તેમાં વિશ્વાસ રાખે છે અને બાઈબલ જે કહે છે તેમાં શંકા કરતા નથી. ખાતરી કરો કે તેઓ જે કહે છે, તેઓ જે માને છે એ મુજબનું જ જીવન જીવે છે. અન્યથા તેઓ ખરેખર તેના પર વિશ્વાસ નથી રાખતા.
તમે કોઈપણ ચર્ચમાં જાઓ છો, ત્યાં શું લોકો એકબીજાને પ્રેમ કરે છે અને સેવા કરે છે? શું તેઓ બાઈબલને પ્રેમ કરે છે અને એકબીજાને પોતાની શ્રદ્ધા સાથે વ્યવહારુ, વાસ્તવિક રીતે જીવવામાં મદદ કરે છે જેને તમે અનુભવી શકો છો અને જોઈ શકો છો? કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ હશે નહીં! પરંતુ તમે એવા લોકો વચ્ચેનો તફાવત જણાવી શકો છો જેઓ એ વાતની પરવાહ કરતા નથી કે તેમનું જીવન સુસંગત છે કે નહીં, અને તે લોકો કે જેઓ તેમની ભૂલો માટે દિલગીર છે.
બસ તમારી જાતને આ પ્રશ્ન પૂછો: શું ત્યાં ઈશ્વરની આરાધના અને આદર કરવામાં આવે છે?
જેમ કોઈ સંપૂર્ણ લોકો નથી હોતા, એવી જ રીતે કોઈ સંપૂર્ણ ચર્ચ સમુદાય નથી હોતો. બસ એક યોગ્ય ચર્ચ શોધો, સતત જાઓ, અને ફરિયાદ ન કરો. તમે ફેરફાર જોવા માંગો છો તેની તમારાથી શરૂઆત કરો. તમારા પરિવારને ઈસુમાં પ્રોત્સાહિત કરવાની તકો શોધો. લોકોને ખરેખર પ્રેમ કરો! શુદ્ધ હૃદયે પ્રેમપૂર્વક સેવા કરો. અન્ય લોકો દ્વારા “સારા” ગણાવાના પ્રયત્ન તરીકે નહીં.
એ ઓળખો કે આપણે માનવ છીએ અને આપણને એકબીજાની જરૂર છે. તમને ક્યારેય જાણતા નથી, જે વ્યક્તિ તમને ઉશ્કેરે છે ત્યારે એવું બની શકે છે તે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેને બસ ઈશ્વરે તમારા જીવનમાં તમારો વિકાસ કરવા માટે મોકલી હોય. અને તમને કદાચ તેમના જીવનમાં બસ એટલા માટે મોકલવામાં આવ્યા હોય કે તમે ધીમે-ધીમે તેમને ઈસુ તરફ લઈ જવામાં મદદ કરો. શાંતિપૂર્વક જીવો અને સાથે મળીને ઈશ્વરનો આદર કરો. એ જ ચર્ચ છે.
વધુ ઉંડાણમાં જાણો
એક ચર્ચ શોધો અને આવનારા રવિવારે તેમાં જાઓ. અનુભવ અંગેના તમારા વિચારો નોંધો, અને તેનાથી તમને કેવી રીતે ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક રીતે અસર થઈ.