Languages

પાઠ 9

પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે.

ઈસુએ આનું એક સરળ ઉદાહરણ રજૂ કર્યું હતું જેને કહેવાય છે “ઈશ્વરની પ્રાર્થના” જે માત્થી 6:9-13 છે. આ પ્રાર્થના તેના એક મિત્રના એ પ્રશ્નનો જવાબ હતો કે પ્રાર્થના કેવી રીતે કરવી.

તેમ છતાં પ્રાર્થનાના જુદા-જુદા પ્રકારો હોય છે જેમ કે મિત્રો સાથેની જુદા-જુદા પ્રકારની વાતચીત થાય છે. આપણે બીજા લોકો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે પોતાના માટે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે રક્ષણ, ઉપચાર, તાકાત, અને જ્ઞાન માંગી શકીએ છીએ. આપણે ઈશ્વરની તેમની ભલાઈ, દયા અને ક્ષમા માટે આભાર માની શકીએ છીએ. આપણે તેમને કહી શકીએ છીએ કે આપણે કોને પ્રેમ કરીએ છીએ. તેમણે આપણને જે આપ્યું છે તેના માટે આપણે તેમનો આભાર માની શકીએ છીએ. અથવા તેમને આપણી ચિંતાઓ, ભય, શંકાઓ, અને પ્રશ્નો જણાવી શકીએ છીએ.

આ બધું જ સારું છે!

ઈશ્વર એ બાબતની કાળજી લે છે કે તમે પ્રમાણિકતાથી પ્રાર્થના કરો છો. તેઓ તમારા વિચારો જાણે છે. પૂર્ણ હૃદય સાથે તમારી પ્રાર્થના કરો. નમ્રતા, આભારસહ, અને વિશ્વાસ સાથે તેમની પાસે જાઓ.

હાથ ઊંચા રાખીને, તમારા ખોળામાં રાખીને અથવા જોડેલા રાખીને પ્રાર્થના કરો. તમારી આંખો ખુલ્લી અથવા બંધ રાખીને પ્રાર્થના કરો. ચાલતા, ઊભા રહીને, બેસીને, નમીને અથવા સુતા હોવ ત્યારે. સવારે અથવા સાંજે અથવા બપોરે અથવા આખો દિવસ પ્રાર્થના કરો.

ઊંડા અવાજ કાઢવાનો પ્રયત્ન કરશો નહીં. ઈશ્વર તરંગી શબ્દોથી પ્રભાવિત થતા નથી. તમે જાણો છો તેના કરતા તેઓ વધુ જાણે છે. બસ સાચા બનો. તમે જેવા છો એવા જ બનો અને ઈશ્વર સાથે આદરપૂર્વક વાત કરો. વિશ્વાસ રાખો કે તેઓ તમારી પ્રાર્થના સાંભળવા ઈચ્છે છે અને તેમને હકીકતમાં તમારી સાથે રહેવું ગમે છે.

તમારી જાતે પ્રાર્થના કરો અને અન્ય લોકો સાથે મળીને પ્રાર્થના કરો. સાથે મળીને પ્રાર્થના કરવી મહત્વનું છે! તે આપણને એક સાથે લાવે છે અને તે ઈશ્વરને આનંદ આપે છે.

અન્ય લોકો કે જેઓ મોટેથી પ્રાર્થના કરવામાં વધુ સહજ હોય છે તેમનાથી ડરશો નહીં. પ્રાર્થના આપણા વિશે નથી હોતી. તે જ્યારે આપણે આપણું હૃદય ઈશ્વર સમક્ષ વ્યક્ત કરીએ છીએ ત્યારે ઈશ્વરની વધુ નજીક જવા વિશે છે. જો કોઈ વ્યક્તિ તમે જે રીતે પ્રાર્થના કરો છો તે માટે તમને મૂર્ખ હોવાનું અનુભવ કરાવે તો તમારા વિશે નહીં પણ તેના વિશે ઘણું વધારે કહી જાય છે. તે અહંકાર બતાવે છે અને અહંકાર એ દૃષ્ટતા છે.

દરેક ખ્રિસ્તીએ ખંતપૂર્વક પ્રાર્થનાની આદત વિકસાવવી જોઈએ. આનો અર્થ એ થાય છે કે પ્રાર્થના માટે દરરોજ કોઈ એક સમય નિર્ધારિત કરવો. જો તમે તે કરશો નહીં તો પ્રાર્થના તમારા જીવનમાંથી અદ્રશ્ય થઈ જશે. જો તમે નિર્ધારિત કરેલ પ્રાર્થનાનો મહાવરો નથી કરતા તો પંદર મિનિટના સમય સાથે શરૂ કરવાનું વિચારો. તમારો દિવસ શરૂ કરો એ પહેલા વહેલી સવારે તમારો સમય નિર્ધારિત કરો એવી ભલામણ કરવામાં આવે છે. તે તમે રાતનો સમય નિર્ધારિત કરો તેના કરતા વધુ મદદરૂપ થાય છે કારણ કે રાત્રે તમે થાકેલા, વ્યસ્ત, કે બેધ્યાન હોઈ શકો છો. પ્રાર્થના એ તમારી દિવસની પ્રવૃત્તિને સારી રીતે બદલવાની એક રીત છે.

તમારી પ્રાર્થનાના સમયને જુદા-જુદા ભાગોમાં વિભાજીત કરો. તમને કદાચ પ્રાર્થનાનું આયોજન નોંધવાનું મદદરૂપ થશે જેથી જો તમારે પ્રાર્થના કરવાનું વિચારવામાં કોઈ મુશ્કેલી હોય તો તમે તેના પર ધ્યાન આપી શકો.

અહીં એક સૂચવેલ માળખું છે: પ્રથમ તમે કરેલી હોય એવી કોઇપણ ભૂલની કબૂલાત કરો અને ઈશ્વર પાસે ક્ષમા માંગો. પછી તેમની ભલાઈ, ક્ષમા, સહનશીલતા અને પ્રેમ માટે તેમનો આભાર માનવામાં થોડી મિનિટો વિતાવો. તેમની વફાદારી અને તાકાત માટે તેમની પ્રસંશા કરવા માટે થોડી વધુ મિનિટો લો. તમારા પરિવાર અને મિત્રો માટે પ્રાર્થના કરો. થોડીવાર શાંત રહો, તમારી સાથે ઈશ્વર વાત કરે તેની રાહ જુઓ. પછી તમારા બાકી બચેલો સમય ઈશ્વરને એવી પ્રાર્થના કરવામાં પસાર કરો કે તેઓ તમને તમારા દિવસ માટે મજબૂત બનાવે.

તમે પ્રાર્થનાની માર્ગદર્શિકા તરીકે બાઈબલનો પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, બાઈબલ વાંચો, પછી તમે જે વાંચો છો તેના વિશે ઈશ્વર સાથે વાત કરો અને તમને જે મૂંઝવણભર્યું જણાયું હોય તે સમજવામાં મદદ કરવા માટે ઈશ્વરને કહો.

સારી આદતો વિકસવામાં સમય લે છે. પ્રક્રિયા અંગે ધીરજ ધરો. તમારી જાત અંગે ધીરજ ધરો. બસ આળસુ બનશો નહીં.

દરરોજ પ્રાર્થનામાં ખંતપૂર્વક પંદર મિનીટ વિતાવવા પછી, ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ પ્રાર્થનાના સમયને વધારવા ઈચ્છે છે. આ અદ્ભૂત છે! અમને જોવા મળ્યું છે કે સમયને જુદી-જુદી બાબતો તરફ ધ્યાન આપવામાં વિભાજીત કરવાનું મદદરૂપ રહે છે. તે આપણને દબાયેલા હોવાથી કે હતાશ થવાથી રોકે છે.

પ્રાર્થના ઈરાદાપૂર્વકની હોય છે. પ્રેમની જેમ, તે વાસ્તવિક બને એ માટે સક્રિય બનવી જરૂરી છે.

જો તમે પ્રયત્ન કરવા માટે પ્રતિબદ્ધ હોવ તો તમને આશ્ચર્ય થઇ શકે છે કે એક કલાક સુધી પ્રાર્થના કરવી એ માત્ર શક્ય નથી એવું નથી, પણ આનંદદાયક પણ છે! આ જ કારણથી આપણે પ્રાર્થનાની જરૂર રહે છે. આપણે કોઇપણ અન્ય વસ્તુ કરતા ઈશ્વર સાથે નિકટ સંબંધ વધુ ઈચ્છીએ છીએ. અને તે નિકટ સંબંધ આપણને બદલે છે.

ઈશ્વર આપણને પ્રાર્થના કરવા માટે બોલાવે છે. તેઓ ઈચ્છે છે કે આપણે તેની સાથે વાત કરીએ. ઈશ્વર સાથે વાત કરવાથી આપણા આત્માને એવો સંતોષ મળે છે કે જે બીજી કોઈ વસ્તુથી નથી મળી શકતો. જ્યારે આપણે પ્રાર્થનાની ઉપેક્ષા કરીએ છીએ ત્યારે આપણે આપણી પોતાની અને આપણે જેમને પ્રેમ કરીએ છીએ તે લોકોની ઉપેક્ષા કરીએ છીએ. ચાલો ઈશ્વર સાથે સમય વિતાવીએ જેથી તેઓ આપણને દરરોજ મજબૂત બનાવે અને પ્રોત્સાહિત કરે.

તેઓ તેમની હાજરીથી આપણને સંતોષ આપવાનું અને આનંદ આપવાનું પસંદ કરે છે. તેઓ તમારી સાથે રહેવા ઈચ્છે છે જેથી તમે તેમને ઓળખી શકો અને તેમનો આનંદ લઇ શકો.

તમારા દિવસમાં ઈશ્વર માટે સમય નિર્ધારિત કરો, નહીંતર તમારો દિવસ તેમને બહાર ધકેલી દેશે. જો તમે પ્રાર્થના કરવામાં ઉપેક્ષા કરશો તો તમે તમારી જાતને નિરાશ, એકલી અને દૃષ્ટતામાં પડતી જોશો. પરંતુ જો તમે ખંતપૂર્વક પ્રાર્થના કરવામાં વફાદાર હોવ તો ઈશ્વર તમે કલ્પના કરી શકો તેના કરતા પણ વધુ મોટું ઈનામ આપશે.

શું તમે જાણો છો કે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે?

વધુ ઉંડાણમાં જાણો

નીચેની દરેક રીતે પાંચ મિનીટ સુધી પ્રાર્થના કરો: પ્રસંશા: કબૂલાત: ગીત; આભાર માનવો: આરાધના: તમારી સાથે તેઓ વાત કરે તેની રાહ જુઓ; તમારી વિનંતીઓ ઈશ્વરને જણાવો; અન્ય લોકો માટે પ્રાર્થના કરો; ગીતશાસ્ત્ર 23 દ્વારા પ્રાર્થના કરો, અથવા બીજા ગીતશાસ્ત્ર દ્વારા કે જે પ્રાર્થના કરવા યોગ્ય હોય; ઈશ્વર કોણ છે તેના ઉપર ધ્યાન કરો; તેમને કહો કે તમને તેમના જેવા બનવા માટે તમને મજબૂત બનાવે; પછી વધુ પ્રસંશા સાથે સમાપન કરો.

અગાઉના યાદી યાદી પછીનું