Languages

પાઠ 5

જ્યારે આપણે ઈશ્વર તરફ વળીએ છીએ અને દૃષ્ટતાથી દૂર જઈએ છીએ ત્યારે તેઓ આપણા જીવનને સમાવવાનું શરૂ કરે છે. તે આપણું જીવન બની જાય છે. આપણો આનંદ બની જાય છે. તેઓ આપણા જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. બાઈબલ આ પ્રક્રિયાને આપણા મગજના નવીનીકરણ તરીકે સૂચવે છે.

બાઈબલ ત્રણ મુખ્ય રીતે આ બદલાવને ઉદાહરણ દ્વારા સમજાવે છે જેમાં તેમને ત્રણ જુદી જુદી ભૂમિકાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે: તારણહાર, ઈશ્વર અને મિત્ર.

બાઈબલ એ આપણને બતાવવામાં ખૂબ કાળજી રાખે છે કે ઈસુ મૃત્યુ પહેલા અને પછી, બન્નેમાં માનવ હતા. તેઓએ તેમના શિષ્યોને અને જે લોકો તેમને પ્રેમ કરતા હતા તેમને “મિત્રો” કહીને બોલાવ્યા હતા.

ઈસુ મૃત્યુમાંથી ફરી જીવીત થયા હતા પછી તેમણે લોકોને એ બતાવ્યું નહોતું કે તેમને કોણે મારી નાખ્યા હતા કે તેઓ કેટલા ખોટા હતા. તેના બદલે, તેઓએ તેમના મિત્રો માટે નાસ્તો બનાવ્યો હતો પછી તેમની સાથે ચાલ્યા હતા અને રાત્રિ ભોજન માટે તેમની સાથે જોડાયા હતા. બીજા વર્ણનમાં, તેઓ ઘરમાં તેના મિત્રો સમક્ષ હાજર થયા હતા, તેમને તેમના ઘા બતાવ્યા હતા અને તેમની સાથે ખાધું હતું.

તેઓ એ બતાવવા માંગતા હતા કે પૃથ્વી ઉપર આવવાનો તેમનો મુખ્ય હેતુ સંબંધને લગતો હતો.

દરેક બાબતમાં ઈશ્વર આપણને તેમના મિત્ર કહે છે. તેઓ આપણી સેવા કરે છે અને આપણને પ્રેમ કરે છે, જે રીતે આપણે તેમની સેવા કરીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. તેઓ અતૂટ મિત્રતામાં આપણી અંદર જીવે છે. આપણે એક બીજાને પ્રેમ કરીએ છીએ અને આદર કરીએ છીએ.

જો તમે તેમને પ્રેમ કરો છો અને જે તેઓ તેમની જાત વિશે જે કહે છે તેમાં શ્રદ્ધા રાખો છો તો તમે તમારી દૃષ્ટતાથી દૂર થઈ જશો અને તમારા જીવનમાં તેમનો પ્રેમ અને તાકાત અનુભવશો.

અલબત્ત, આપણા માટે એમની મિત્રતાનો અનુભવ કરવા માટે તેમને આપણને દૃષ્ટતાથી દૂર કરવાની અને આપણા જીવનનું કેન્દ્ર બનવાની જરૂર રહે છે. આપણા તારણહાર તરીકે, તેઓ સતત આપણને માફ કરે છે અને આપણને મુક્ત કરે છે. આપણે આને આપણા અગાઉના પાઠોમાં આવરી લીધું છે.

ઈશ્વર તરીકે ઈસુ વિશે શું માહિતી છે?

ઈશ્વર એ એવી એક વ્યક્તિ છે જે અધિકાર સાથે માર્ગદર્શન આપે છે. તે જણાવે છે “આ કરો” અને તેના સેવકો આજ્ઞાનું પાલન કરે છે. બાઈબલ કહે છે કે તેઓ આપણા ઈશ્વર બનવા માંગે છે. તેમની સાથે મિત્રતામાં જીવન જીવવાની તે પૂર્વશરત છે.

મૂંઝાઈ જશો નહીં. તેઓ આપણી પાસે અણગમતું કામ કરાવવા અને આજ્ઞાનું પાલન કરાવવા ઈચ્છતા નથી. વર્ષો દરમિયાન, ઈશ્વર એવા ઘણા લોકો ઉપર ગુસ્સે થયા છે જેણે તેમના દાંત કચકચાવ્યા છે અને આજ્ઞાનું પાલન કર્યુ છે. તેના બદલે, ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેમની આજ્ઞાનું પાલન કરે કારણ કે તેઓ તેમને રાજી કરવા ઈચ્છે છે. તેઓ ઇચ્છે છે કે આપણે તેમને આપણું જીવન સાચા પ્રેમ અને વિશ્વાસથી આપીએ, નહીં કે એટલા માટે કે આપણે આપવું પડે છે.

જો તમે તેમની આજ્ઞાનું પાલન કરવા અને તમારું જીવન આપવા ન ઈચ્છતા હોવ તો, તેમના શબ્દ (બાઈબલ)માં તમારી જાતને ડુબાડી દો, અને જેઓ તમે કોણ છો તે કહે છે અને તેમણે તમારા માટે શું કર્યું છે તેના વિશે વિચારો. પછી, સક્રિય રીતે તેમના તરફની તમારી ઈચ્છાને અનુસરો.

કોઈક વ્યક્તિની ઈચ્છાને કેવી રીતે અનુસરવું તેનું અહીં એક વાસ્તવિક જીવનનું ઉદાહરણ છે. જ્યારે પ્રેમીઓ પરણે છે ત્યારે તેઓ હંમેશા એકબીજા માટે પ્રેમ અનુભવતા નથી. પરંતુ જ્યારે તેઓ એકબીજા સાથે માયાળુ વર્તન કરે છે ત્યારે તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે છે.

એક પત્ની તેણીના પતિ માટે એક ભેટ લાવે છે અને જ્યારે ભેટને મૂકતી હોય છે ત્યારે તેણીને તેની માયા યાદ આવે છે. આયોજન કરવાનું, ખરીદી કરવાનું અને કાર્ડ ભરવાના સરળ કામ તેના માટેના તેણીના પ્રેમને જાળવવામાં મદદ કરે છે કારણ કે જેમ તેણી યાદ કરે છે કે તે કોણ છે અને તેનો પ્રતિભાવ આપે છે તેમ-તેમ પ્રેમ તેના હૃદયમાં વધે છે અને તેનામાં તેની શ્રધ્ધા દ્વારા વાસ્તવિક બને છે.

જ્યારે આપણે આપણી જાતને યાદ અપાવીએ છીએ કે ઈસુ કોણ છે અને આપણા પ્રત્યેની તેમની ભલાઈ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા હૃદયમાં સ્નેહ વધે છે અને વાસ્તવિક બને છે. પ્રતિભાવમાં, તેઓ આપણી ઈચ્છાઓ બદલે છે અને આપણને પ્રેમ અને ભરોસો કરીને તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત આપે છે.

આપણા જીવનમાં ઈશ્વરના વચનો સાચા બને એ માટે આપણે તેમના શબ્દને વાંચીને, પ્રાર્થના કરીને અને તેમની આજ્ઞા ઉપર ભરોસો રાખીને અને તેનું પાલન કરીને તેમના માટે આપણા સ્નેહને વધારવાની જરૂર છે. જેમ જેમ આપણે તેમને આપણા તારણહાર, પ્રભુ અને મિત્ર તરીકે ઈચ્છીએ છીએ તેમ-તેમ આ તમામ બાબતો આપણી માનસિકતાને બદલે છે.

આ પ્રક્રિયાઓ મહત્વની છે કારણ કે ઈશ્વર તેનો આપણે જે છીએ તે બદલવા માટે ઉપયોગ કરે છે. તેઓ આપણી ઓળખને આપણા તારણહાર, માલિક અને મિત્ર તરીકેની તેમની ઓળખમાં આપણા ભરોસા દ્વારા સુધારે છે.

વધુ ઉંડાણમાં જાણો

કોલોસી 1:15-23 વાંચો અને તમે પ્રેમ કરો છો એવા લોકોની યાદી નોંધો જેઓએ એ સાંભળ્યું નથી કે તમે ઈસુને અનુસરવાનો અને તેમને તારણહાર, માલિક, અને મિત્ર કહેવાનો શા માટે નિર્ણય કર્યો છે. પ્રાર્થના કરો કે ઈશ્વર તેમનું હૃદય ખોલશે અને ઈશ્વરે કેવી રીતે તમારું જીવન બદલ્યું છે તેની તમારી સાક્ષી કહેવાની એક તક તમને આપશે. શું તેઓ તમને એવી તકો આપી રહ્યા છે જે હજુ સુધી તમે લીધી નથી?

અગાઉના યાદી યાદી પછીનું